યજુર્વેદના બાવીશમા અધ્યાયના બાવીશમા અનુવાક તરીકે પ્રાચીન ભારતનું, વૈદિકકાળના ભારતનું રાષ્ટ્રગીત સંગ્રહિત છે.
आ ब्रह्मन ब्राह्मणो ब्रह्मवर्चसी जायतामा राष्ट्रे
राजन्य: शूर ईषव्योडतिव्याधी महारथो जायतां
द्रोग्ध्रीधेनुर्वोढानडवानाशु: सप्ति: पुरन्ध्रिर्योषा जिष्णू
रथेष्ठा: सभेयो युवास्य यजमानस्य वीरो जायतां
निकामे निकामे न: पर्जन्यो वर्षतु फलवत्यो न
ओषधय: पचयन्तां योगक्षेमो न कल्यताम्
(यजुर्वेद ; 22-22)
“હે ભગવાન ! અમારા રાષ્ટ્રમાં બ્રહ્મતેજથી તેજસ્વી બ્રાહ્મણો ઉત્પન્ન થાઓ. અમારા રાષ્ટ્રમાં શૂરવીર, બાણાવળી, શત્રુઓને પરાસ્ત કરનાર, મહારથી ક્ષત્રિયો ઉત્પન્ન થાઓ. અમારા રાષ્ટ્રમાં ગાયો પુષ્કળ દૂધ આપનારી હો; બળદો બળવાન હો; ઘોડાઓ શીઘ્રગામી હો. અમારા રાષ્ટ્રમાં સ્ત્રીઓ વિનયશીલ અને સંસ્કારી હો. અમારા રાષ્ટ્રમાં રથમાં બેસનાર વીરો વિજયશીલ હો. અમારા રાષ્ટ્રમાં યજમાનને વીર અને સભામાં બેસવા યોગ્ય યુવાન પુત્રો ઉત્પન્ન થાઓ. અમારા રાષ્ટ્રમાં જ્યારે જ્યારે વરસાદ જોઈએ ત્યારે ત્યારે વરસાદ (મન માગ્યા મેઘ વરસે). અમારા રાષ્ટ્રમાં ફળથી ભરપૂર વનસ્પતિ-ઔષધીઓ પાકે. અમારું સૌનું યોગક્ષેમ ઉત્તમ સ્વરૂપે સંપન્ન થાઓ.’ [Courtesy By Wikipeida]